Hits: 312
જયારે કોઈ પણ વ્યક્તિ જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ અરજી કરવા માટે જાય છે ત્યારે તેમને ખબર જોવી જોઈએ કે જાહેર માહિતી અધિકારી ની ફરજો શું છે. અને જાહેર માહિતી અધિકારી તેને ક્યાં સવાલ કરી શકે અને ક્યાં સવાલ ન કરી શકે, અરજી નું સ્વરૂપ કેવું હોવું જોઈએ અને અરજી માં શું લેખલ હોવું જોઈએ.
અરજી કરતી વખતે અરજદાર ને મુશ્કેલી ન પડે એ માટે જાહેર માહિતી અધિકારી ની ફરજો નો ખ્યાલ મેળવવો અતિઆવશયક છે. અહીં આપણે જાહેર માહિતી અધિકારી ની ફરજો જોઈશું.
(1) જો કોઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી તેના જીવન અથવા સ્વતંત્રતાને લગતી હોય, તો આવી આરટીઆઈનો જવાબ વિનંતીની પ્રાપ્તિના 48 કલાકના સમયગાળાની અંદર આપવામાં આવે તે ફરજિયાત છે.
(2) જો માંગવામાં આવેલી વિવિધ માહિતીમાંથી, પી.આઈ.ઓ. દ્વારા ફક્ત થોડા જ જવાબો આપવામાં આવ્યાં છે, તો જાહેર માહિતી અધિકારી (પીઆઈઓ) ની ફરજ છે કે માંગણી કરેલા સંપૂર્ણ દસ્તાવેજો ન આપવાનું કારણ આપવું અને અરજદારની સમીક્ષાના સંદર્ભમાં અધિકારો માહિતીના ભાગને જાહેર ન કરવા અંગેનો નિર્ણય પણ આપે.
(3) જો માહિતી અધિકારી ને મળેલી અરજી માંથી અમુક માહિતી અન્ય માહિતી અધિકારી ને કે અન્ય ડિપાર્ટમેન્ટ ની હોય તો આવી અરજી ને જરૂરી માહિતી આપ્યા બાદ કારણ સાથે બીજા ડિપાર્ટમેન્ટ ને ટ્રાન્સફર કરવી જોઈએ.
(4) આરટીઆઈ એક્ટ સંસદના સભ્યની સમાન અધિકાર સાથે નાગરિકને સશક્ત બનાવે છે. જે માહિતી સંસદના કોઈપણ સભ્ય અથવા રાજ્ય વિધાનસભાને નકારી શકાતી નથી તે આરટીઆઈ મેળવવા માંગતા કોઈપણ વ્યક્તિને નકારી શકાય નહીં.
(5) આર.ટી.આઈ એક્ટની કલમ 4 ની સંપૂર્ણ સૂચિમાં જણાવેલ માહિતિ જાહેર કરવી એ પી.આઈ.ઓ.ની ફરજ છે.
(6) કોઈ પણ અરજી કરવા માં આવે તો માહિતી હોય કે ન હોય 30 દિવસ માં જવાબ એવો ફરજીયાત છે.
(7) કોઈ પણ વિભાગ ના માહિતી અધિકારી એ કોઈ પણ વિભાગ ની માહિતી માટે અરજી સ્વીકારવી જોઈએ.
(8) કોઈ પણ પીઆઇઓ અરજદાર પાસે અરજી કરવાનું કારણ પૂછી શકે નહિ.
(9) અરજી કરવા માટે ગમે તે સ્વરૂપ માં અરજી મળે તેનો સ્વીકાર કરવો જોઈએ.
(10) અરજી નો વિષય માહિતી મેળવવા માટે નો હોય તો પણ એ અરજી માહિતી અધિનિયમ હેઠળ ની અરજી જ ગણાશે, અને તેનો સ્વીકાર કરવો જોઈશે. માહિતી મેળવવા માટે કોઈ ખાસ ફોરમેટ માં કે પછી પ્રિન્ટિંગ કરેલી અરજી જ કરવાની એવું જાહેર માહિતી અધિકારી અરજી કરનાર ને કહી શકે નહિ.
ભારતીય સંસદ દ્વારા 15 જૂન 2005 ના રોજ આરટીઆઈ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જે 12 મી ઓક્ટોબર 2005 ના રોજ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યો હતો, જેથી સામાન્ય લોકોને તેમના “માહિતીનો અધિકાર” ના અધિકારની પરવાનગી મળે. ઘણાં વિવાદો થયાં હતાં, ઝઘડા થયાં હતાં, પરંતુ, આરટીઆઈ એક્ટ દ્વારા આપણા જીવનને એવી રીતે ગોઠવવામાં આવ્યું છે કે બીજું કંઇ નહીં થઈ શકે.
શું તમે “માહિતીના અધિકાર” ના તમારા અધિકાર નો ઉપયોગ કર્યો છે?
તમે કયા માધ્યમ દ્વારા આર.ટી.આઈ. અરજી કરી છે ?
તમને કેવો અનુભવ થયો?
નીચે કોમેન્ટ જરૂર કરજો અને હા, લેખ શેર કરવાનું ભૂલશો નહીં.
સંદર્ભ:
[1] આરટીઆઈ એક્ટ, 2005 ની કલમ 24
[2] આરટીઆઈ એક્ટ, 2005 નું શેડ્યૂલ II
તમે આ લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.
જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.